બાવિશી કુટુંબ ના સુરા પૂરા ગોરધન બાપા જી

જીવંત...ચમત્કારિક...દૈવી શક્તિ ધરાવતું સ્થળ બાવિશી પરિવાર ના સુરાપુરા શ્રી ગોરધન બાપા....રાણાવાવ - પોરબંદર હાઈ વે પર (પીપળીયા પાસે)
પોરબંદર રાજકોટ હાઇવે પર રાણાવાવ નજીક આવેલા બાવિશી કુટુંબ ના સુરાપુરા બાપા શ્રી ગોરધન બાપા નું આ ચમત્કારી સ્થાનક જીવંત દૈવી શક્તિ ધરાવતી જગ્યા છે.
હાલ અહી બાલકૃષ્ણ ભાઈ બાપોદરા સેવા પૂજા આપી રહ્યા છે અગાઉ અહી દેવા બાપા એ વર્ષો સેવા આપી હતી હવે તેઓ ની ઉંમર થઈ છે પરંતુ તેઓ દર્શન માટે અચૂક આવે છે. આ સાથે શ્રી દેવા બાપા તથા પૂજારી બાલકૃષ્ણ ભાઈ  @ બા લુ ભાઈ નો ફોટો ક્લિક સાદર છે. દેવા બાપા એ વારસો સેવા કરી તેઓ માં દૈવી અંશ ની અનુભૂતિ મળો ત્યારે અવશ્ય થાય.
 અહી સુરાપુરા ગોરધન બાપા ઉપરાંત માતાજી તથા શિવ મંદિર આવેલ છે. આ જગ્યા માં બપોરે હરિહર ની હાકલ પડે છે અને જરૂરિયાત મંદ વટે માર્ગુ માટે હાલ ના પૂજારી બાલકૃષ્ણ ભાઈ ભોજન કરાવે છે આમ સહજ અન્નપૂર્ણા ભવન ની ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. અને  "ટુકડો ત્યાં હરિ ધુકડો" ના સિદ્ધાંત નું બાલકૃષ્ણ ભાઈ પાલન કરે છે અને યથા શક્તિ સેવા કરે છે.
અસ્તુ... જય શ્રી ગોરધન બાપા .....સર્વે ની મનોકામના પૂર્ણ કરે.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐