પોરબંદર બ્રહ્મ અગ્રણી શ્રી ગીરીશ ભાઇ ના જન્મદિન નિમિત્તે પૂજા કરાવનાર શાસ્ત્રી જી કોણ ?
પોરબંદર બ્રહ્મ અગ્રણી શ્રી ગીરીશ ભાઇ ના જન્મદિન નિમિત્તે પૂજા કરાવનાર શાસ્ત્રી જી કોણ ?
જાણો તેઓ વિશે
રાજેશ ભાઈ જોશી શાસ્ત્રી જી નો સંપર્ક મોબાઈલ નંબર 9879711664
તાજેતર માં પોરબંદર બ્રહ્મ અગ્રણી શ્રી ગિરીશ ભાઇ નો જન્મદિન એપ્રિલ માસ તા.૮.૪.૨૨ ના રોજ શાસ્ત્રોક્ત વિધિ થી ભગવાન શિવ નું પંચોપચાર પૂજન સાથે રુદ્રાભિષેક કરી ઉજવાયો.
"नमस्ते रुद्र मन्यवऽ उतो तऽ इषवे नमः।
बाहुभ्याम् उत ते नमः॥1॥
या ते रुद्र शिवा तनूर-घोरा ऽपाप-काशिनी।.....
આ રુદ્ર સુક્ત ના મંત્રો સાથે તેઓ દ્વારા કરાવાયો અભિષેક.
સ્પષ્ટ મંત્રો ના ઉચ્ચાર સાથે અદભૂત સાંભળતા રહો તેવો સ્વર.....સાંભળતા રહો.
ત્યારે શિવ પૂજન નો અભિષેક સાથે નો ફોટો શેર કર્યો ઘણા ના મનમાં પ્રશ્ન ઉદભવ્યો હશે કે આ ફોટો માં કેસરી ઝભ્ભા કુર્તા સાથે છે તે શાસ્ત્રી જી કોણ છે ?
ઘણા લોકો તેઓ ને નામ થી કે જોઈ ને ઓળખતા હશે કે એ વિદ્વાન શાસ્ત્રી જી શ્રી રાજેશ ભાઇ જોશી.
તેઓ ભાગવત કથા,વૈદિક કર્મ કાંડ,સુંદર કાંડ રામચરિત માનસ નો સંગીત સાથે નો પાઠ વી.એ એમની આગવી શૈલી છે. તેઓ સેવાકીય,સરળ સ્વભાવ વાળું વ્યક્તિત્વ છે.
રાજેશ ભાઇ શાસ્ત્રી વિશે::
💐સેવાકીય,સરળ સ્વભાવ ના શાસ્ત્રીજી:: રાજેશભાઈ જોશી,પોરબંદર(બોર્ન:૧૯૭૯)💐
સેવાકીય,સરળ સ્વભાવ વાળું વ્યક્તિત્વ એટલે શાસ્ત્રીજી રાજેશભાઈ જોશી,પોરબંદર.
વૈદિક કર્મકાંડ જેઓ ને દાદા શાસ્ત્રી જી સ્વ.શ્રી પૂજ્ય સુંદરજી ભાઇ પાસે થી ડી એન એ માં મળ્યા
સ્વ.શ્રી પૂજ્ય સુંદરજી લાધા રામ ભાઈ જોશી પોરબંદર કે સારા કથાકાર અને જ્યોતિષ જ્ઞ રહ્યા.
તેઓ ગરેજ ના સ્વ. લાધારામ ભાઈ જોશી પરિવાર ના સદસ્ય તેઓ નો જન્મ સને ૧૯૭૯ ના ૨૧ મી ઓક્ટોબર ના રોજ શ્રી મનસુખ ભાઈ ભાઈ શંકર જોશી અને માતા શ્રીમતી મંજુલા બેન ને ત્યાં થયો.
જામનગર પાઠશાળા વૈદિક કર્મ "કાંડ રત્ન"::
શ્રી રાજેશ ભાઇ એ હાઈ સ્કૂલ નો અભ્યાસ કર્યો સાથે સાથે તેઓએ સૌરાષ્ટ્ર વિદ્વત પરિષદ જામનગર પાઠ શાળા માંથી વૈદિક કર્મ "કાંડ રત્ન" સુધી નો પરીક્ષા આપી કર્મકાંડ માં ઉત્તીર્ણ પણ થયા. તેઓ એ વૈદિક "ભૂષણ" માં પ્રથમ વર્ગ મેળવેલ છે.
૨૫૦ ભાગવત કથા ::
તેઓ એ આશરે ૨૫૦ જેટલી ભાગવત કથા ઓ કરી છે.જેમાં આશરે ૫૦ જેટલી સ્વતંત્ર વ્યાસપીઠ પર થી ભગવત કથા કરેલ છે.તેઓ ભાગવત કથાકાર અને સારા વકતા છે.
વૈદિક કર્મ કાંડ અને વિદેશ પ્રવાસ::
સને ૨૦૦૮ માં આફ્રિકા દારેસલામ પોરબંદર ના અગ્રણી ભાગવત કથા કાર શ્રી મુકેશ ભાઈ અત્રિ સાથે તેમજ ૨૦૧૬ ઉમેશભાઇ જોશી સાથે દુબઈ તેઓ એ ઉપાચાર્ય તરીકે સાથે રહ્યા અને પ્રવાસ કર્યો.
સ્થાનિક વિવિધ સંસ્થાઓ સાથે ના સેવાકીય કાર્યો::
તેઓ પોરબંદર ની સ્થાનિક વિવિધ સંસ્થાઓ સાથે ના સેવાકીય કર્યો માં જોડાયેલ છે.
કોરોના લોક ડાઉન દરમ્યાન ગત વર્ષ એપ્રિલ, ૨૦૨૦ માં શાસ્ત્રી જી રાજેશ ભાઈ ના વિદેશ સ્થિત યજમાન અને અનુયાયીઓ દ્વારા ફંડ એકઠું કરી માહિ ગ્રૂપ સાથે સંકલન માં થી વિતરણ કાર્ય રાશન કર્યું હતું.
તેઓ વૈદિક અભ્યાસ અને કર્મકાંડ માં નિપુણતા મળી તે માટે ની શ્રેય તેઓ ના કાકા શ્રી શંભુ પ્રસાદ ભાઈ ને તથા પૂ.સ્વ.સુંદરજી દાદા ને આપે છે.
જરૂર થી આપ પણ શાસ્ત્રી જી ની સેવા માટે તેઓ ને આપ ના સામાજિક, ધાર્મિક પ્રસંગો, માં પૂજન માટે સંપર્ક કરી શકો છો.
રાજેશ ભાઈ જોશી શાસ્ત્રી જી નો સંપર્ક મોબાઈલ નંબર 9879711664
© નરેન્દ્ર જોશી
શાસ્ત્રી જી શ્રી રાજેશ ભાઇ જોશી વિશે અન્ય Related link અહીં ક્લિક કરો::
https://bit.ly/3C4Do8s
Comments
Post a Comment