પોરબંદર વિદ્યાર્થી ભવન સ્થિત બિલેશ્વર મહાદેવ ૨૧ મો પાટોત્સવ તા.૨૩.૮.૨૨ ના રોજ સંપન્ન
પોરબંદર વિદ્યાર્થી ભવન સ્થિત બિલેશ્વર મહાદેવ ૨૧ મો પાટોત્સવ સંપન્ન:: મનો રથી શ્રી બી.કે.વ્યાસ પરિવાર
તા૨૩.૮.૨૨
પોરબંદર વિદ્યાર્થી ભવન સ્થિત બિલેશ્વર મહાદેવ ૨૧ મો પાટોત્સવ તા.૨૩.૮.૨૨ નું આયોજન*________'" *
જેની સ્થાપના ની રજત જયંતિ માં ફક્ત ત્રણ વર્ષ બાકી છે તેવી આસ્થા નું કેન્દ્ર એજી બી એસ વિદ્યાર્થી ભવન પોરબંદર ના પરિસર સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિર,નો ૨૧ મો પાટોત્સવ શ્રાવણ માસ ની બારસ ના રોજ તા.૨૩.૮.૨૨ ના રોજ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગ ૨૧ માં બિલેશ્વર મહાદેવ પાટોત્સવ તા.૨૩.૮.૨૨ ના મનોરાથી વ્યાસ પરિવાર ના શ્રી બી.કે.વ્યાસ અને પ્રભા ગૌરીબેન અને પરિવાર હોમાત્મક લઘુ તથા રુદ્ર તથા જ્ઞાતિ બ્રહ્મ ભોજન ના તેઓ દાતા હતા.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::
બિલેશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના:: ::
વિદ્યાર્થી ભવન પોરબંદર પરિસર સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિર ની સ્થાપના શ્રાવણ વદ ૧૨ સવંત ૨૦૫૮ ના રોજ તા.૪.૯.૨૦૦૨ ના રોજ શ્રીમતી જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ના મુખ્ય દાતા શ્રી ધીરજ લાલ ભાઈ અમૃત લાલ ભાઈ જોશી ના હસ્તે શ્રી બિલેશ્વર મહાદેવ ની પ્રાણપ્રતિષ્ઠા કરવા માં આવી છે.
યજ્ઞ શાળા::
અહીં ભવ્ય યજ્ઞ શાળા ની સુવિધા છે. જે લંડન સ્થિત જીતુભાઇ લાલજી જોશી (પૈતૃક મૂળ મિત્રાળા) કાલિદાસ મેઘજી જોશી પરિવાર ના ઓ તરફ થી યજ્ઞ શાળા માટે ત્રિવેણી બેન લાલજી જોશી ની સ્મૃતિ અર્થે દાન આપેલ છે અને યજ્ઞ શાળા નું નિર્માણ કરવા માં આવેલ છે.
ગાયત્રી મૂર્તિ સ્થાપના::
મંદિર પરિસર માં ગાયત્રી માતાજી ની સ્થાપના પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર મા ગાયત્રી મંદિર આવેલ છે જેની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા કરવા મા આવેલ છે.જે તેઓ ના પરિવાર દ્વારા પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ના સ્મરણાર્થે વિક્રમ સવંત ૨૦૭૬ મા પોષ વદ ૪ ના દિવસે કરવા મા આવેલ છે.જે અંગે પુનઃ નૂતન મંદિર સ્થાપના સને ૨૦૨૦ મા તા.૧૪.૧.૨૦ ના પૂજન તથા નૂતન મંદિર સ્થાપન પ્રતિષ્ઠા નું ભવ્ય આયોજન કરાયું હતું. જે દર વર્ષ ગાયત્રી માતાજી નો પાટોત્સવ ૧૪ મી જાન્યુઆરી ના રોજ આયોજન થાય છ
:::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::
આસ્થા નું કેન્દ્ર ::
બિલેશ્વર મહાદેવ પોરબંદર સ્થિત સ્થાનિક રહીશો તથા એર પોર્ટ વિસ્તાર માં વસતા કુટુંબ પરિવાર તથા આપણા એજી બી એસ સદસ્યો નું આસ્થા નું કેન્દ્ર છે.
મંદિર વહીવટી સમિતિ તથા સંસ્થા ના હોદેદારો અને ટ્રસ્ટી શ્રી ઓ દ્વારા વિવિધ ઉજવણી::
મંદિર પાટોત્સવ ઉપરાંત ભવન માં ગણપતિ સ્થાપન ની ઉજવણી,ગાયત્રી મંદિર પાટોત્સવ,સત્ય નારાયણ કથા કે યજ્ઞ નું આયોજન, ભવન ના પરિસર માં આવેલ બિલેશ્વર મંદિર ખાતે આયોજન થાય અને ઉજવણી થતી રહે છે.
સાંસ્કૃતિક પ્રચાર અને ઉત્સવ ની ઉજવણી ની કેડી કંડારનાર અગ્રણી શ્રી ગિરીશ ભાઈ વ્યાસ::
પૂર્વ પ્રમુખ શ્રી અને વર્તમાન ટ્રસ્ટી શ્રી ગિરીશ ભાઈ વ્યાસ દ્વારા આ માટે જરૂરી પ્રયત્નો સાથે સર્વે ટ્રસ્ટી, હોદેદારો,કારોબારી ના સહયોગ થી આવા આયોજન માટે ની પરંપરા શરૂ કરાઇ છે.
::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::: :::: ::::
માનોરથી શ્રી બી.કે.વ્યાસ પરિવાર પોરબંદર::
આ પ્રસંગ ૨૧ માં બિલેશ્વર મહાદેવ પાટોત્સવ તા.૨૩.૮.૨૨ ના મનોરાથી વ્યાસ પરિવાર ના શ્રી બી.કે.વ્યાસ અને પ્રભા ગૌરીબેન અને પરિવાર હોમાત્મક લઘુ તથા રુદ્ર તથા જ્ઞાતિ બ્રહ્મ ભોજન ના તેઓ દાતા હતા. તેઓ બિલેશ્વર મહાદેવ માં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને મંદિર ના પાટોત્સવ ના મુખ્ય મનોરથી તરીકે પુજન અર્ચન તથા બ્રહ્મ ભોજન નો સેવા નો વ્યાસ પરિવાર લાભ લે છે.
વ્યાસ પરિવાર સદસ્યો::
ભીખાલાલ કરશન જી ભાઈ વ્યાસ (મૂળ પૈતૃક વતન: જાંબુ તા.રાણાવાવ) કે જેઓ બી.કે.વ્યાસ ના ટૂંકા નામ થી જાણીતા છે.
તેઓ ના પુત્ર શ્રી ગીરીશ ભાઈ વ્યાસ, ટ્રસ્ટી શ્રી વર્ષો થી વિદ્યાર્થી ભવન પોરબંદર સાથે જોડાયેલ છે. તેમજ પુત્ર શ્રી ભારદ્વાજ ભાઈ પણ એજી બી એસ કાર્યકર તરીકે સેવા કાર્યમાં યથા શક્તિ યોગદાન આપે છે.
શ્રી બી.કે.વ્યાસ,પોરબંદર નાઓ વિશે::
બી.કે.વ્યાસ એટલે સરળ વ્યક્તિત્વ
તેઓ નો જન્મ વ્યાસ પરિવાર ના શ્રી કરશનજી વશરામ વ્યાસ અને જયા બેન ને ત્યાં સને ૧૯૪૨ મા ૩૦ મી નવેમ્બર ના રોજ કુતિયાણાના મુકામે થયો. મૂળ પૈતૃક વતન જાંબુ તા.રાણાવાવ
તેઓ પોરબંદર ને સને ૧૯૬૧ મા સ્થાયી થઈ અને કર્મભૂમિ બનાવનાર આદરણીય શ્રી બી.કે.વ્યાસ @ શ્રી ભીખાલાલ કરશન જી વ્યાસ એસ ટી વિભાગ મા એ.ટી.એસ ના હોદ્દા પરથી નિવૃત્ત થયા.
પોરબંદર એજી બી એસ ના જૂના પાયા ના કાર્યકર તેઓ એ શ્રી દુર્લભજી ભાઈ તેમજ રેવા શંકર ભાઈ વીરજી જોશી સાથે ૬૦ અને ૭૦ ના દશક મા એક અદના પાયા ના કાર્યકર તરીકે કામ કર્યું.
તેઓ પોરબંદર એજી બી એસ તથા વિદ્યાર્થી ભવન ના ટ્રસ્ટી મંડળ ના ટ્રસ્ટી સદસ્ય તરીકે પણ સેવા આપી છે. તેમજ એજી બી એસ પોરબંદર ના પણ ટ્રસ્ટી છે.
હાલ તેઓશ્રી નું સિનિયર સદસ્ય તરીકે હંમેશા માર્ગદર્શન મળતું રહે.
પોરબંદર એજી બી એસ ની સેવાકીય પ્રવૃત્તિ ઓ મા તેઓ નું હંમેશા આર્થિક યોગદાન રહ્યું
પૂજા વિધિ ના આચાર્ય શાસ્ત્રી જી અને વ્યવસ્થા માં સેવક ગણ ::
આ પ્રસંગ ના પૂજન અને હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ ના આચાર્ય તરીકે શ્રી યોગેશ ભાઈ શંભુ ભાઈ જોશી તથા ઉપા ચાર્ય તરીકે શ્રી નંદલાલ ભાઈ મોઢા,ની શાસ્ત્રી જી તરીકે અધ્યક્ષતા માં તેઓ ની ટીમ
શ્રી જગદીશ ભાઈ મોઢા, ,કેતન ભાઈ મહેતા,સંજય ભાઈ વી.ટીમ સાથે પુજન અને યજ્ઞ સંપન્ન થયો.
આ માટે બિલેશ્વર મહાદેવ મંદિર વ્યવસ્થાપક અને ઉજવણી સમિતિ સદસ્યો શ્રી અને ભકત ગણ તથા મંદિર ના પૂજારી સેવક ગણ શરૂ અને સ્ટાફ સદસ્યો આ પ્રસંગ ને સફળતા પૂર્વક ઉજવણી માટે કામ કરી રહ્યા છે. વિદ્યાર્થી ભવન કેર ટેકર શ્રી મહેશ ભાઈ જોશી,તુલસી બાપા મિસ્ત્રી, બિલેશ્વર મહાદેવ મંદિર પૂજારી શ્રી નરેશ ઉપાધ્યાય વિ.જહેમત ઊઠાવી હતી.
ઉપસંહાર અને સમાપન::
આ પ્રસંગ ના મનોરથી શ્રી શ્રી બી.કે.વ્યાસ અને પ્રભા બેન નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
અસ્તુ
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment