કેશોદ એજી બી એસ અગ્રણી શ્રી દિલીપ ભાઈ મહેતા (બોર્ન::૧૯૬૫) :: જન્મદિન નિમિત્તે શુભેચ્છા
💐 જન્મદિન શુભેચ્છા 💐
શ્રી દિલીપભાઈ ડી. મેહતા (કેશોદ)
જન્મતારીખ: ૨૦ જુલાઈ, ૧૯૬૫
કેશોદ AGBSના અગ્રણી, સમાજસેવી અને વરિષ્ઠ કાર્યકર શ્રી દિલીપભાઈ ડી. મેહતાને જન્મદિન નિમિત્તે AGBS પરિવાર તથા સમગ્ર ગ્રુપ વતી હાર્દિક શુભેચ્છાઓ.
ઈશ્વર તેમને ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સમાજસેવાનું બળ પ્રદાન કરે તેવી શુભકામનાઓ.
- એડ મિન
સંક્ષિપ્ત પરિચય
વાંચો
.....
વાંચો
સંક્ષિપ્ત પરિચય
શ્રી દિલીપભાઈ મેહતાનો જન્મ તા. ૨૦ જુલાઈ, ૧૯૬૫ના રોજ શ્રી ધીરજલાલભાઈ દુર્લભજીભાઈ મેહતાના પરિવારમાં થયો હતો. તેમનું મૂળ વતન ઓસા (ઘેડ), તા. માંગરોળ છે.
તેમણે વાણિજ્ય (કોમર્સ)નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાયદાના સ્નાતક (LL.B.) થયા અને હાલ તેઓ રેવન્યુ પ્રેક્ટિશનર તરીકે કાર્યરત છે.
સમાજસેવામાં યોગદાન
- કેશોદ બોર્ડિંગના પ્રમુખ તરીકે (૨૦૧૬–૨૦૧૯) ત્રણ વર્ષ સેવા આપી.
- કેશોદ AGBSના મંત્રી તરીકે (૨૦૧૦–૨૦૧૯) નવ વર્ષ સેવા આપી.
- મહેતા પરિવાર ટ્રસ્ટના મંત્રી તરીકે (૨૦૧૦–૨૦૧૯) નવ વર્ષ સેવા આપી.
- હાલ કેશોદ AGBSના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે.
- સમસ્ત બ્રહ્મસમાજ, વંથલીના મંત્રી તરીકે છેલ્લા ૧૫ વર્ષથી સેવા આપી રહ્યા છે.
- વંથલી પોલીસ લાઇન ગરબી મંડળના પ્રમુખ તરીકે પણ છેલ્લા ૧૫ વર્ષથી સેવા આપી રહ્યા છે.
યાદગાર સ્મૃતિ
શ્રી દિલીપભાઈ મેહતા બોર્ડિંગ પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન, સર્વે કેશોદ સદસ્યોના સહયોગથી તા. ૧૮–૧૯ મે, ૨૦૧૯ના રોજ કેશોદ ખાતે ભવ્ય સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂજ્ય શ્રી ફૂલશંકરભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૧૩ બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યો હતો. સમાજના તમામ યુનિટોના સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગ તેમની સમાજસેવાની યાદગાર સિદ્ધિઓમાંનો એક ગણાય છે.
💐 જન્મદિનની ફરી એકવાર હાર્દિક શુભેચ્છાઓ. પરમાત્મા તેમને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સમાજસેવામાં સતત પ્રગતિ અર્પે તેવી પ્રાર્થના.
=============================
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૯૨૩૯૯
તા.૨૦.૭.૨૬
Comments
Post a Comment