પ્રજ્ઞાની પ્રેરણાત્મક પ્રતિભા:::ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય લેખક :: શ્રી કનક ભાઈ વ્યાસ,જામનગર
ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય આલેખન:: શ્રી કનક ભાઈ વ્યાસ પ્રજ્ઞા પુત્રી જ્યોત્સના બેન મહેતા એટલે આધ્યાત્મિક જીવન સાથે ગાયત્રી પરિવાર ના મા ગાયત્રી માતાજી ની કૃપા થી પ્રજ્ઞા પુરાણ કથા નું વ્યાસ પીઠ સ્થાને થી પ્રચાર પ્રસાર કરે અને વ્યસન મુક્તિ તથા સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ જામનગર ખાતે સ્થાયી છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય રચિત ૧૯મું પુરાણ પ્રજ્ઞા પુરાણ ની 2 વર્ષના ટૂંકા ગાળામાં ૭૬ પાંચ દિવસીય કથાઓ નું તેઓ ના વ્યાસ પીઠ સ્થાને થી આયોજન થયું. તાજેતર માં એપ્રિલ ૨૦૨૫ માં પોરબંદર ખાતે પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ. ============================= તેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જામનગર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ નો જન્મ ચાંદીગઢ સ્થિત વ્યાસ પરિવાર માં પિતા શ્રી જમનાદાસ ભાઈ અને માતા અનસૂયા બેન ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૮ ના રોજ થયો. સંસ્કૃત વિષયમાં બાળપણથી જ રસ ધરાવતા જ્યોત્સનાબેન પર રાજકોટ AGBS ના વિદ્વાન શિક્ષક શ્રી J.K. મહેતાનું વિશેષ પ્રભાવ રહ્યો છે. સંસ્કૃત વિષયના ગાઢ અભ્યાસ અને વૈદિક...